અમદાવાદ શહેરના મેઘાણીનગર સ્થિત આઈજીપી ક્વાર્ટર નજીક એક ગંભીર દુર્ઘટના સામે આવી છે. Air India ની ફ્લાઇટ નં. 171, બોઇંગ વિમાન, આજે બપોરે 1:38 વાગ્યે ટેકઓફ થયું હતું અને માત્ર બે મિનિટ બાદ, 1:40 વાગ્યે જ તે ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત બની હતી. વિમાન સીધું એક બિલ્ડિંગ સાથે અથડાયું હોવાનું સામે આવ્યું છે.
આ દુર્ઘટનામાં આશરે 200 જેટલા મુસાફરો અને કેટલાક કાર્ગો સામાન પણ વિમાનમાં ઉપસ્થિત હતો. ત્યારે ખાસ નોંધપાત્ર બાબત એ છે કે વિમાનની 2D સીટ પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ બેઠા હતા.
અધિકારીઓ તરફથી વિમાનમાં બેઠેલા મુસાફરોની સંપૂર્ણ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં અનેક જાણીતા નામોનો સમાવેશ થાય છે.
- વિજય રૂપાણી – 2D
- અમીન સુભાષચંદ્ર – 2H
- નંદા નેહા – 1B
- સોની અલ્પા – 1H
- અઘેડા વલ્લભભાઈ – 21E
- રમેશ હિરજી હિરાણી – 11H
- મેઘ મહેતા – 22A
- મોહમ્મદ અદનાન માસ્ટર – 38J
…અને વધુ 190થી વધુ મુસાફરોના નામો સામે આવ્યા છે.
હાલમાં રેસ્ક્યૂ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. પોલીસે અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમે વિસ્તારને ઘેરી લીધો છે. મુસાફરોની હાલત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી.
વિશ્વસનીય સૂત્રો જણાવે છે કે વિજય રૂપાણીસાહેબનો સંપર્ક થયો છે અને તેઓ સંપૂર્ણ રીતે સુરક્ષિત હોવાનું પણ પ્રાથમિક માહિતીમાં જાણવા મળે છે.