ફેફસાંમાં ભરેલી સીલીકા જ એક માત્ર પુરાવો હતો, કામ કર્યાનો ડાહ્યાભાઇનું મ્રુત્યુઃ એપ્રીલમાં બીજું

ફેફસાંમાં ભરેલી સીલીકા જ એક માત્ર પુરાવો હતો, કામ કર્યાનો ડાહ્યાભાઇનું મ્રુત્યુઃ એપ્રીલમાં બીજું

તબીબની સલાહને કારણે નહી પણ શરીર જ ચાલતું ન હોવાને કારણે ડાયાભાઈને 2012 કામ મુકી દેવાની ફરજ પડી. વારંવાર દાખલ કરવા પડતા. 4 દિવસ આઈ.સી.યુ માં રહ્યા અંતે 60 વર્ષની ઉંમરે તારીખ 23/04/2024ના રોજ સવારે 5 વાગ્યે મોરબી સીવીલમાં ડાયાભાઈ કહેરભાઈ ધંધુકીયાએ છેલ્લા શ્વાસ લીધા.

આમાં અચરજની વાત તો એ છે કે 1983 લઈ 2012ના ગાળામાં 29 વર્ષ સુધી કામ કર્યું છતાં જ્યારે એમની પાસે કોઈ કારખાનામાં કામ કરતાં તેનું આઈ કાર્ડ કે પગાર પાવતી કે પી એફ કે ઇ એસ આઇ નંબર એવું કશું જ ન હતું, કામ કર્યાનો જો કોઈ પુરાવો હતો તો તે હતાં એમના સીલીકા ભરેલાં ફેફસાં!

ઈ. એસ. આઈ કપાતું હોત તો એમના પરીવારને પેન્શન મળી શકત.

એપ્રીલ મહીનામાં પહેલાં કરશનભાઈ તારીખ 11/04/2024 ના રોજ અને તે પછી ડાયાભાઈ જતાં એક જ મહીનામાં સીલીકોસીસથી મોરબીમાં આ બીજું મોત નોંધાયું..

News Source: Press Note – PTRC (PEOPLES TRAINING & RESEARCH CENTER)

Disclaimer: The visuals on this site are used under fair use guidelines for information. Sources include public domains and official materials. Questions? Reach out to us.
Fact-Checking Policy: We gather facts from reliable platforms and verify them. Errors can happen; if you find one, let us know, and we’ll fix it promptly.

Technology news writer covering breakthroughs, trends, and innovations shaping the digital world.