અમદાવાદ – આજના આઈપીએલ 2025ના મહા ફાઈનલ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે એક અનોખો અને આશાજનક સંયોગ સામે આવ્યો છે. આ ફાઈનલ 3 જૂન, 2025ના રોજ અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. ખાસ વાત એ છે કે બંને ટીમોએ આજ સુધી આઈપીએલ ટ્રોફી જીતી નથી, પરંતુ આ વખતે સંકેત બતાવે છે કે કોહલીના RCB માટે બધું ‘નંબર 18’ની આજુબાજુ ઘૂમે છે.
વિરાટ કોહલી અને નંબર-18નો કમાલ
વિરાટ કોહલીનું જર્સી નંબર 18 છે, અને આ આઈપીએલનું પણ 18મું સિઝન છે. ફાઈનલની તારીખ છે 3-6-2025 – જ્યારે આ તમામ અંકો (3+6+2+0+2+5) નો સરવાળો કરીએ તો પણ તે 18 થાય છે. cricket ચાહકો અને કોહલીના ફેન માટે આ એક વિશેષ આશાનું કિરણ સમાન છે.
પહેલાંના ફાઈનલની હાર, હવે જીતની તલપ
RCB અગાઉ પણ 2009 અને 2016માં ફાઈનલમાં પહોંચી હતી, પણ બંને વખત હારનો સામનો કર્યો. આ વખતે ટીમમાં જુસ્સો અને ફોર્મ બંને મજબૂત છે. કોહલી હાલ ઓરેન્જ કેપની રેસમાં પણ સામેલ છે – 14 મેચમાં 55.82ની એવરેજ સાથે 614 રન બનાવ્યા છે.
પંજાબ કિંગ્સ પણ નથી પાછળ
જેમ RCB, તેમ પંજાબ કિંગ્સે પણ આજ સુધી આઈપીએલ જીત્યું નથી. આ સિઝનમાં પણ તેમણે સારું પરફોર્મન્સ કરીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે.
ફાઈનલમાં કોણ જીતશે?
બંને ટીમ માટે આ ઇતિહાસ રચવાનો મોકો છે. કોહલીના સંયોગને સાચો સાબિત કરવા RCB માટે આજેનો દિવસ યાદગાર બની શકે છે અને સાથે સાથે તેમની પહેલી ટ્રોફીનું સપનું સાકાર પણ થઈ શકે છે.