Ram Navami 2025 ના દિવસે કરો રામ રક્ષા સ્તોત્ર અને બાલકાંડનું પઠન. જાણો શુ ભવિષ્યના દુઃખ દૂર કરવા માટે રામનવમીના શુભ ઉપાય છે.
Ram Navami 2025
રામ નવમી હિંદુ ધર્મનું એક પવિત્ર તહેવાર છે, જે ભગવાન શ્રીરામના જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન રામની ભક્તિ અને પૂજા વિધિવત કરીને જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. ખાસ કરીને કેટલાક ધાર્મિક ઉપાયો રામ નવમીના દિવસે કરવાથી ભગવાન શ્રીરામની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
રામ નવમી ક્યારે છે?
ચૈત્ર મહિનાની નવમી તિથિ પંડિતોના હિસાબે 5 એપ્રિલ 2025ની રાત્રે 7:26 વાગ્યે શરૂ થશે અને 6 એપ્રિલ 2025ની રાત્રે 7:22 વાગ્યે પૂરી થશે. હિંદુ ધર્મ પ્રમાણે ઉદય તિથિ માન્ય હોવાથી, રામ નવમી 6 એપ્રિલે ઉજવાશે.
પૂજા વિધિ માટે શુભ મુહૂર્ત (ram navami puja vidhi)
6 એપ્રિલે સવારના 11:08 થી બપોરે 1:39 સુધી શ્રેષ્ઠ સમય છે ભગવાન રામની પૂજા માટે.
રામ નવમીના શુભ ઉપાયો (ram navami 2023 upay in gujarati)
રામ રક્ષા સ્તોત્રનું પઠન કરો
રામ નવમીના દિવસે રામ રક્ષા સ્તોત્રનો પઠન કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ પઠન જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરે છે અને દુશ્મનો પર વિજય મેળવવામાં સહાયરૂપ બને છે.
રામચરિતમાનસના બાલકાંડનું પઠન કરો
આ દિવસે રામચરિતમાનસના બાલકાંડનું પઠન કરવાથી વ્યક્તિને મહાપીડા, ગ્રહ દોષ અને પારિવારિક તણાવમાંથી મુક્તિ મળે છે. ભગવાન રામના બાળસ્વરૂપને ભજવવાથી ઘરમાં શાંતિ અને સુખદ સમય આવે છે.
દશાવતાર સ્તોત્ર અને ભગવાનના નામજાપ કરો
ભગવાન રામના ઉપાસકોએ રામ નવમીના દિવસે દશાવતાર સ્તોત્રનું પઠન કરવું જોઈએ. સાથે સાથે રામના નામનો જાપ કરવો પણ ખૂબ જ શુભ છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાયોથી ભગવાન રામ દુઃખના સમયમાં ભક્તની રક્ષા કરે છે.
રામ નવમીનું ધાર્મિક મહત્વ
હિંદુ શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભગવાન રામ અયોધ્યાના રાજા દશરથના ઘરમાં ચૈત્ર સુદ નવમીના દિવસે અવતરી આવ્યા હતા. તેથી રામ નવમીનું પર્વ હિંદુઓ માટે ખૂબ જ પવિત્ર અને શક્તિદાયક છે. આ દિવસે શ્રદ્ધાથી ભગવાન રામની પૂજા કરવાથી જીવનમાં ખુશહાલી અને સમૃદ્ધિ આવે છે.