રાજ્યમાં શિક્ષકોની ભરતીમાં હવે વિલંબ જોવા મળશે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ લોકલ સ્વરાજ્યની ચૂંટણી માટે લાગુ થયેલી આદર્શ આચારસંહિતા છે. આચારસંહિતાના અમલને કારણે HTAT (હેડ ટીચર અપર પ્રાઇમરી) મુખ્ય શિક્ષકોના જિલ્લા ફેર બદલી કેમ્પને સ્થગિત કરવામાં આવ્યો છે.
શિક્ષણ વિભાગે બહાર પાડ્યો પત્ર
શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર લખીને આ અંગે માહિતી આપી છે. પત્રમાં જણાવાયું છે કે, HTAT મુખ્ય શિક્ષકોના બદલી કેમ્પ માટે અગાઉ સમયપત્રક નક્કી કરાયું હતું અને તમામ પ્રક્રિયા ઓફલાઇન પદ્ધતિથી પૂર્ણ કરવાની સુચના આપવામાં આવી હતી.
હવે, 21 જાન્યુઆરી, 2025થી ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આદર્શ આચારસંહિતા લાગુ થઈ છે, જેના પરિણામે ચૂંટણીઓ સંબંધિત તમામ કામગીરીઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આચારસંહિતા હેઠળના વિસ્તારોમાં નિયુક્ત અધિકારીઓ અને કર્મચારીઓને પસંદગી અથવા બદલી કરવાની મંજૂરી હવે આપવામાં આવશે નહીં.
બદલી કેમ્પ માટે નવી સૂચનાઓ સુધી પ્રતીક્ષા
શિક્ષણ વિભાગે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, નવી સૂચના ન મળે ત્યાં સુધી HTAT મુખ્ય શિક્ષકોના જિલ્લા ફેર બદલી કેમ્પને સ્થગિત રાખવામાં આવશે.
આ નિર્ણય શિક્ષકોની ભરતીની પ્રગતિને પ્રભાવિત કરતો હોય, પરંતુ ચૂંટણી પ્રક્રિયાને પ્રાથમિકતા આપવી મહત્વપૂર્ણ ગણાય છે. આગામી સમય માટે નવી જાહેરાતનું શિક્ષકોને ઈંતઝાર રહેશે.