ગુજરાત સરકારે ખેતીની જમીન વેચાણને લગતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો: ખેડૂતોને મળી મોટી રાહત

ગુજરાત સરકારે ખેતીની જમીન વેચાણને લગતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો: ખેડૂતોને મળી મોટી રાહત

Agriculture News: ગુજરાત સરકાર દ્વારા ખેતીની જમીનના વેચાણની પ્રક્રિયામાં મોટો બદલાવ લાવવામાં આવ્યો છે. હવે 6 એપ્રિલ 1995 પછીના જમીન રેકોર્ડને જ ખેડૂત ખરાઈ માટે માન્ય ગણવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડિજીટાઈઝેશન અને ઓનલાઈન પારદર્શક પ્રક્રિયાને વેગ આપીને આ પરિવર્તન કર્યો છે, જેથી ખેડૂતો માટે જમીન વેચાણની પ્રક્રિયા વધુ સરળ બને.

આ પહેલાં, જમીન વેચાણ માટે 1951-52ના રેકોર્ડના આધારે ખેડૂત હોવાનો પુરાવો જરૂરી હતો. આ કારણે ઘણા ખેડૂતોને જુના રેકોર્ડ ન મળવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. હવે, 1995 પછીના રેકોર્ડને આધારે જ ખરીદ-વેચાણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

ખેડૂત હોવાનો પુરાવો રજૂ કરવો પડશે નહીં, પરંતુ જમીન વેચનાર ખાતેદારે ખેડૂત હોવાનો સોગંદનામું રજૂ કરવું પડશે. આ બદલાવથી જમીન વેચાણ પ્રક્રિયા ઝડપથી અને સરળ બની છે.

મુખ્યમંત્રીના આ નિર્ણયો રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયા છે, જે ખેડૂતો માટે મોટો રાહતભર્યો નિર્ણય સાબિત થશે.

Disclaimer: The visuals on this site are used under fair use guidelines for information. Sources include public domains and official materials. Questions? Reach out to us.
Fact-Checking Policy: We gather facts from reliable platforms and verify them. Errors can happen; if you find one, let us know, and we’ll fix it promptly.

Technology news writer covering breakthroughs, trends, and innovations shaping the digital world.