નેશનલ અને સ્ટેટ હાઈવે પર Toll taxમાં વધારો, જાણો નવા રેટ

નેશનલ અને સ્ટેટ હાઈવે પર Toll taxમાં વધારો, જાણો નવા રેટ

દેશના નેશનલ અને સ્ટેટ હાઈવેઝ પર મુસાફરી વધુ મોંઘી થઈ છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા ટોલ ટેક્સમાં રૂ. 5 થી 40 સુધીનો વધારો કરવામાં આવ્યો છે, જે 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે. આ વધારો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે, નેશનલ હાઈવે 48 અને પાલનપુર હાઈવે પર લાગુ થશે. ટોલ ટેક્સમાં કેટલો વધારો? New toll…

અમદાવાદ પોલીસ કમિશનરની મોટી કાર્યવાહી: 38 પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ જાહેર

અમદાવાદ પોલીસ કમિશનરની મોટી કાર્યવાહી: 38 પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ જાહેર

ગુજરાતમાં પોલીસ વિભાગમાં સતત ફેરફારો થઈ રહ્યા છે, અને હમણાં જ અમદાવાદ શહેરમાં 38 પોલીસકર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા આપેલા આદેશ મુજબ, ક્રાઇમ અને ટ્રાફિક વિભાગના 38 પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની બદલી કરાઈ છે. આ નિર્ણય પછી પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ કર્મચારીઓ માટે આ…

રાજ્યમાં ST બસ ભાડામાં 10% વધારો, મુસાફરી બની મોંઘી

રાજ્યમાં ST બસ ભાડામાં 10% વધારો, મુસાફરી બની મોંઘી

ગુજરાતમાં મુસાફરો માટે વધુ એક ઝટકો આવ્યો છે. GSRTC (ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન) દ્વારા રાજ્યમાં ST બસ ભાડામાં 10% વધારો કરવામાં આવ્યો છે. મોંઘવારી વચ્ચે આ વધારાને કારણે દૈનિક મુસાફરી કરનારા લોકોના ખિસ્સા પર વધુ બોજ પડશે. નવા ભાડા ગઇકાલે મધરાત્રિથી લાગૂ થઈ ગયા છે, જેનાથી રાજ્યના અંદાજે 27 લાખ મુસાફરો પ્રભાવિત થયા છે.…

ચાર્જશીટ અપાયેલા 276 આરોગ્ય કર્મચારીઓએ બચાવનામું રજુ કર્યું, નિયમાનુસાર કાર્યવાહી થશે

ચાર્જશીટ અપાયેલા 276 આરોગ્ય કર્મચારીઓએ બચાવનામું રજુ કર્યું, નિયમાનુસાર કાર્યવાહી થશે

જિલ્લાના 276 આરોગ્ય કર્મચારીઓને અચોક્કસ મુદતની હડતાલના કારણે સર્વિસ બ્રેકની ચાર્જશીટ આપવામાં આવી છે. આ પગલાં બાદ કર્મચારીઓએ બચાવનામું રજુ કર્યું છે અને રૂબરૂ સાંભળવાની માંગ કરી છે. જિલ્લામાં ચાલતી આ હડતાલ અને તેની પર લેવાયેલા કડક નિર્ણયોની ચર્ચા ગરમાઈ છે. જિલ્લા વિકાસ અધિકારીએ શું કહ્યું? જિલ્લા વિકાસ અધિકારી બી.જે. પટેલ અનુસાર, બચાવનામું રજુ કરેલા…

ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ 11મા દિવસે: 2100થી વધુ કર્મચારીઓને બરતરફ કરાયા

ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ 11મા દિવસે: 2100થી વધુ કર્મચારીઓને બરતરફ કરાયા

ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓનું આંદોલન હવે 11 દિવસથી ચાલુ છે. આ અનિશ્ચિત મુદતની હડતાળમાં સરકારે સખત વલણ અપનાવ્યું છે અને 8 જિલ્લાઓમાંથી 2100થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દીધા છે. આ ઉપરાંત, 5000થી વધુ કર્મચારીઓને કારણદર્શક નોટિસ મોકલવામાં આવી છે. આરોગ્ય કર્મચારીઓએ સત્યાગ્રહ છાવણીમાં પોતાની લડત ચાલુ રાખવાનો સંકલ્પ લીધો છે, જ્યારે સરકારે આરોગ્ય સેવાઓમાં ખલેલ…

ગુજરાત સરકાર લેન્ડ રેવન્યૂ બિલમાં કરશે સુધારો, સરકારની મંજૂરી વિના જમીન વેચનાર સામેના કેસ પડતા મૂકાશે

ગુજરાત સરકાર લેન્ડ રેવન્યૂ બિલમાં કરશે સુધારો, સરકારની મંજૂરી વિના જમીન વેચનાર સામેના કેસ પડતા મૂકાશે

ગુજરાત સરકારે જમીન સંબંધિત કાયદામાં મહત્વના ફેરફારની તૈયારી શરૂ કરી છે. ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ 1879ની વિવિધ કલમો હેઠળ શરતોનું ઉલ્લંઘન કરનાર સામે ચાલતી કોર્ટની કાર્યવાહીઓને પડતી મૂકવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ માટે ગુજરાત લેન્ડ રેવન્યૂ એમેન્ડમેન્ટ બિલ-2025ને વિધાનસભામાં રજૂ કરવાની યોજના છે. આ નવા બિલમાં કલમ 65, 68, 84-સી અને 122 જેવી જોગવાઈઓના…

આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર સરકારનો કડક નિર્ણય: 1100 કર્મચારીની નોકરી ગઈ, 10,000ને નોટિસ

આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર સરકારનો કડક નિર્ણય: 1100 કર્મચારીની નોકરી ગઈ, 10,000ને નોટિસ

ગુજરાતમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોતાની જૂની માગણીઓને લઈને 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. છેલ્લા 10 દિવસથી ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરી રહેલા આ કર્મચારીઓ પર સરકારે કડક કાર્યવાહી શરૂ કરી છે. આરોગ્ય વિભાગે એસ્મા (એસેન્શિયલ સર્વિસીઝ મેઇન્ટેનન્સ એક્ટ) લાગુ કર્યો હોવા છતાં આંદોલનકારીઓ પીછેહઠ કરવા તૈયાર નથી. સરકારે અત્યાર સુધીમાં 1100…

Big News: ગુજરાત શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: મદદનીશ કેળવણી નિરીક્ષકની બઢતી માટે હવે પરીક્ષા ફરજિયાત

Big News: ગુજરાત શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: મદદનીશ કેળવણી નિરીક્ષકની બઢતી માટે હવે પરીક્ષા ફરજિયાત

ગુજરાતના શિક્ષણ વિભાગે શિક્ષકોની બઢતીને લઈને એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે રાજ્યમાં મદદનીશ કેળવણી નિરીક્ષકનું પદ મેળવવા માટે શિક્ષકોએ સ્પર્ધાત્મક પરીક્ષા આપવી પડશે. આ નવી નીતિ મુજબ, શિક્ષકોના અનુભવની સાથે તેમની ક્ષમતા અને જ્ઞાનની ચકાસણી માટે પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાના આધારે મેરિટ લિસ્ટ તૈયાર થશે, જે બઢતીની પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત,…

top Toll Collection in India: ગુજરાતનો ટોલ પ્લાઝા કમાણીમાં નંબર વન, જાણો ટોપ 10 ટોલ પ્લાઝાની આવક

top Toll Collection in India: ગુજરાતનો ટોલ પ્લાઝા કમાણીમાં નંબર વન, જાણો ટોપ 10 ટોલ પ્લાઝાની આવક

ભારતમાં ટોલ ટેક્સને લઈને લોકો વારંવાર ફરિયાદ કરતા રહે છે, પરંતુ શું તમને ખબર છે કે દેશનો સૌથી વધુ કમાણી કરતો ટોલ પ્લાઝા કયો છે? જવાબ છે ગુજરાતના ભરથાણા ગામમાં આવેલો ટોલ પ્લાઝા, જે નેશનલ હાઈવે 48 પર સ્થિત છે. આ હાઈવે દિલ્લી અને મુંબઈને જોડે છે અને દેશમાં સૌથી વધુ આવક આપનાર ટોલ પ્લાઝા…

ગાંધીનગરમાં ઉગ્ર આંદોલન: આરોગ્ય કર્મચારીઓ બાદ હવે ખેલ સહાયકોએ સરકાર સામે ધરણાં લગાવ્યાં

ગાંધીનગરમાં ઉગ્ર આંદોલન: આરોગ્ય કર્મચારીઓ બાદ હવે ખેલ સહાયકોએ સરકાર સામે ધરણાં લગાવ્યાં

રાજ્યનું પાટનગર ગાંધીનગર આ દિવસોમાં આંદોલનનું કેન્દ્ર બની ગયું છે. એક પછી એક સરકારી કર્મચારીઓ પોતાની માગણીઓને લઈને ગાંધીનગરમાં ધામા નાખી રહ્યા છે. આરોગ્ય કર્મચારીઓએ 17 માર્ચથી શરૂ કરેલું આંદોલન હજુ ચાલુ છે, અને હવે ખેલ સહાયકોએ પણ સરકાર સામે મોરચો માંડ્યો છે. આ બંને ઉપરાંત રાજ્યના શાળાઓના આચાર્યો પણ આંદોલનની તૈયારીમાં જોવા મળી રહ્યા…